આગામી તારીખ ૨૯ ઓકટોબરથી સમગ્ર રાયમાં તા. ૧ જાન્યુઆરી ૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિ સુધારણા કાર્યક્રમ ચૂંટણી પચં દ્રારા જાહેર કરવામાં આવ્યો છે.
મુખ્ય નિર્વાચીન અધિકારીની કચેરીના નાયબ સચિવ એમ.બી.દેસાઈ દ્રારા આ સંદર્ભે રાયભરના જિલ્લા કલેકટરોને અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ તારીખ ૨૯ ઓકટોબરના રોજ મતદાર યાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે અને તે સાથે જ મતદાર યાદીની ખાસ સક્ષિપત સુધારણા કાર્યક્રમની શઆત પણ થઈ જશે. તારીખ ૨૯ ઓકટોબરથી ૨૮ નવેમ્બર સુધી હક્ક દાવા અને વાંધા અરજીઓ નાગરિકો રજૂ કરી શકશે.
મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ સરનામા અટક વગેરે બાબતોમાં ફેરફાર કરવા સહિતની આ કામગીરી દરમિયાન નાગરિકોને પોતાના ઘરની નજીક જ આ કામ થઈ શકે તે માટે તારીખ ૧૭,૨૩ અને ૨૪ નવેમ્બરે ખાસ ઝુંબેશ રાખવામાં આવશે અને ત્યારે જે તે નાગરિકના ઘરની નજીક આવેલા મતદાન મથકે સવારે ૧૧:૦૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી બીએલઓને બેસાડીને મતદાર યાદીમાં નવા નામ દાખલ કરવા સુધારા વધારા વગેરે પ્રક્રિયા કરી શકાશે.
લોકસભાની ચૂંટણી થોડા સમય પહેલા જ પૂરી થઈ છે અને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણી વાર છે. પરંતુ ચૂંટણી પચં દ્રારા મતદાર યાદી અપડેટ કરવાની કામગીરી સમયાંતરે કરવામાં આવતી હોય છે અને તે મુજબ આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પચં –દિલ્હી દ્રારા પણ આ સંદર્ભે ગુજરાત રાયના મુખ્ય નિર્વાચન અધિકારીને પરિપત્ર પાઠવીને મતદારી યાદી ખાસ સંક્ષિ સુધારણા કાર્યક્રમ હાથ ધરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech