બેનરો તથા પોસ્ટરો લગાવી મતદારોને અપાયો મતદાનનો સંદેશ
લોકસભા સામાન્ય ચૂંટણી 12-જામનગર લોકસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં મતદારો મતદાનની નૈતિક ફરજ અચૂક નિભાવી મહત્તમ મતદાન કરે તે માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ત્યારે જામજોધપુરની શ્રી સર્વોદય કેળવણી મંડળ સંચાલિત અમૃતબેન વાલજીભાઈ દામજીભાઈ સવજાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના દરેક મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને પરિવાર સાથે અવશ્ય મતદાન કરી અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા વિદ્યાર્થીઓએ અનુરોધ કર્યો હતો. આ રેલીમાં મતદાર જાગૃતિ અંગેના બેનરો તથા પોસ્ટરો લગાવી મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech