સંત શ્રી ચત્રભુજદાસજી મહારાજ (ઉપવાસી બાપુ)ની પૂણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો
કુદરતી સૌંદર્યથી ભરપુર અને “તુહીં રામ પ્યારે રામ”નાં નાદથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓની ચેતન સમાધિ આવેલ છે તેવી સંતશ્રી નાથજીદાદાની પાવનકારી તેમજ સંતશ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધારધામમાં સંતશ્રી ૧૦૦૮ ઉપવાસીબાપુની ૧૯મી પુણ્યતિથિ આગામી તા. ૮/૪ મંગળવારે શ્રી વિષ્ણુયજ્ઞ સાથે ધામધૂમથી ઉજવવામાં આવશે.
આગામી તા. ૮/૪/૨૫ મંગળવાર સં. ૨૦૮૧ ચૈત્ર સુદ અગિયારસના રોજ સંતશ્રી ચત્રભુજદાસજી મહારાજ (ઉપવાસીબાપુ)ની ૧૯મી પુણ્યતિથિ નિમિત્તે સવારે ૭:૧૫ ધ્વજારોહણ અને ૯-૩૦ કલાકે ચરણ પાદુકા પૂજન કરવામાં આવશે. સવારે ૭ વાગ્યે વાગ્યે શ્રી વિષ્ણુયજ્ઞની મંગલ પ્રારંભ થશે. બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ અને સાંજે ૫ વાગ્યે શ્રી વિષ્ણુયજ્ઞનું સમાપન થશે. આ દિવ્ય વિષ્ણુયજ્ઞના યજમાન દિપસિંહ બચુભા ભાટી છે.
આ મંગલદિવસે દેવદર્શન, વિષ્ણુયજ્ઞ દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી ભક્તજનોને સપરિવાર પધારવા દાણીધારધામના મહંત મહા મંડલેશ્વર શ્રી સુખદેવદાસજી બાપુ અને શ્રી નાથજી દાદા ટ્રસ્ટ તેમજ શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટએ આમંત્રણ આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝૂરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધ થી વાહનોનો નીકળ્યો કચ્ચરઘાણ
May 17, 2025 10:38 AMજામનગર જિલ્લામાં વરસાદનું ૨૪ વર્ષનું સરવૈયુ: આ વખતે સારી વર્ષાની આશા...
May 17, 2025 10:35 AMટ્રમ્પ હવે ભારતીયો દ્વારા યુએસથી મોકલાતા પૈસામાંથી ટેક્સ કાપશે
May 17, 2025 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech