પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા અને કડક પગલાં લીધાં છે. તેમાં પાકિસ્તાની નાગરિકોના વિઝા સસ્પેન્ડ કરવાની પણ વાત કરવામાં આવી હતી. જોકે, વિદેશ મંત્રાલયે ગઈકાલે પાકિસ્તાની નાગરિકોને ભારત દ્વારા જારી કરાયેલા તમામ માન્ય વિઝા સ્થગિત કરવાના નિર્ણય અંગે સ્પષ્ટતા જારી કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય હિન્દુ પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવતા લાંબા ગાળાના વિઝા પર લાગુ થશે નહીં.
વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, ૨૪ એપ્રિલ ૨૦૨૫થી પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાના ભારત સરકારના નિર્ણયના સંદર્ભમાં, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ નિર્ણય હિન્દુ પાકિસ્તાની નાગરિકોને પહેલાથી જ જારી કરાયેલા લાંબા ગાળાના વિઝા પર લાગુ થશે નહીં. આ વિઝા માન્ય રહેશે.
વિદેશ મંત્રાલયના નિર્ણય મુજબ, ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા 27 એપ્રિલ, 2025થી રદ ગણવામાં આવશે. મેડિકલ વિઝા ફક્ત 29 એપ્રિલ, 2025 સુધી માન્ય રહેશે. હાલમાં ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોએ તેમના વિઝા સમાપ્ત થાય તે પહેલાં ભારત છોડી દેવું પડશે. હિન્દુ પાકિસ્તાની નાગરિકોના લાંબા ગાળાના વિઝા પર કોઈ અસર થશે નહીં.
ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. હાલમાં પાકિસ્તાનમાં રહેલા ભારતીય નાગરિકોને શક્ય તેટલી વહેલી તકે ભારત પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે.
૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) દ્વારા લેવામાં આવી છે, જે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (એલઇટી)નું પ્રોક્સી જૂથ માનવામાં આવે છે.
આ પછી, ભારતે કાર્યવાહી કરી છે અને ઘણા વધુ કડક પગલાં લીધાં છે. પાકિસ્તાની લશ્કરી અધિકારીઓને હાંકી કાઢવામાં આવ્યા. સિંધુ નદી જળ સંધિ સ્થગિત કરવામાં આવી. અટારી-વાઘા ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech