મણિપુરમાં કુકી અને મૈતેઈ બહુમતીવાળા વિસ્તારોમાં લગભગ 2 વર્ષ પછી ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ થતાં જ હિંસા ભડકી ઉઠી. ઈમ્ફાલ, ચુરાચાંદપુર, કાંગપોકપી, વિષ્ણુપુર અને સેનાપતિને જોડતા રસ્તાઓ પર શનિવારે જેવી બસો દોડવાની શરૂ થઈ, કે તરત જ કુકી સમુદાયના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો.
સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં એક પુરુષ પ્રદર્શનકારીનું મોત થયું છે, જ્યારે 25 અન્ય ઘાયલ થયા છે. મૃતકની ઓળખ લાલગૌથાંગ સિંગસિટ (30 વર્ષ) તરીકે થઈ છે. લાલગૌથાંગ અથડામણ દરમિયાન ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. હોસ્પિટલ લઈ જતા સમયે તેનું મોત થયું હતું.
સુરક્ષા દળોએ પેલેટ ગનનો ઉપયોગ કર્યો હોવાના સમાચાર
પ્રદર્શનકારીઓએ અવરજવર રોકવા માટે રસ્તાઓ પર પથ્થરો પાથરી દીધા હતા. રસ્તાઓ પર ઝાડ કાપીને પાડી દીધા હતા. ઘણી જગ્યાએ ગાડીઓ ઊભી રાખીને રસ્તાઓ રોકી દીધા હતા. બસો, કારમાં આગ લગાવી દીધી હતી. હિંસા કરી રહેલા લોકોને રોકવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જવાબમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech