હરિયાણામાં કુરુક્ષેત્રના કેશવ પાર્ક ખાતે ૧૮ માર્ચથી શરૂ થયેલા ૧૦૨મા ૧૦૦૮ કુંડીય શિવ શક્તિ મહાયજ્ઞ દરમિયાન આજે સવારે ગોળી વાગવાથી એક બ્રાહ્મણ ઘાયલ થયો હતો. ઘાયલ બ્રાહ્મણને સારવાર માટે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બ્રાહ્મણને ગોળી માર્યા પછી, વિવાદ વધ્યો અને વેદ વાચકોએ મુખ્ય રસ્તો બ્લોક કરી દીધો. નબળી ગુણવત્તાવાળું ભોજન આપવાના આરોપ પર હંગામો શરૂ થયો હતો.
વેદના વાચકોએ યજ્ઞ સમ્રાટ પર નબળી ગુણવત્તાવાળું ભોજન પીરસવાનો આરોપ લગાવીને હોબાળો શરૂ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, હંગામો વધતાં યજ્ઞ સમ્રાટ બાબા હરિઓમના બોડીગાર્ડે ગોળીબાર કર્યો હતો. વેદ વાચકને ગોળી માર્યા પછી, બધા વેદ વાચકોએ તોડફોડ શરૂ કરી દીધી હતી. તેઓએ મંડપ, હોર્ડિંગ્સ અને બેનરો તોડવાનું શરૂ કર્યું. તેમણે વચ્ચેથી લાકડીઓ કાઢી, હવામાં ઉછાળી અને બાબાને ગાળો આપતાં રસ્તા પર આવી ગયા હતા. અહીં તેઓએ બેરિકેડ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો હતો.
પરિસ્થિતિ જોઈને ભારે પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં પરિસ્થિતિ તંગ છે અને વેદ વાચકો રસ્તા પર અને કેશવ પાર્કમાં લાકડીઓ લહેરાવીને ફરી રહ્યા છે. પોલીસ વાહનો અને ફાયરબ્રિગેડના વાહનો પણ ઘટનાસ્થળે હાજર છે.
આ મહાયજ્ઞની શરૂઆત 18 માર્ચથી થઈ હતી અને તે 27 માર્ચ સુધી ચાલુ રહેશે. તેના માટે 1008 કુંડી યજ્ઞશાળાઓ બનાવવામાં આવી હતી. મહાયજ્ઞમાં દરરોજ 1,00,000 આહૂતિ આપવામાં આવી રહી હતી. આ આયોજનનો સૂત્રધાર હરિ ઓમ દાસ છે, જે યજ્ઞ સમ્રાટના નામથી ઓળખાય છે. અત્યારસુધીમાં તેમણે દેશભરના 24 રાજ્યોમાં 101 મહાયજ્ઞોનું આયોજન કરાવ્યું છે. તેમનો સંકલ્પ છે સમગ્ર ભારતવર્ષમાં 108 મહાયજ્ઞ કરાવવાનો છે. કુરુક્ષેત્રમાં 18 માર્ચથી શરૂ થયેલો મહાયજ્ઞ આ પ્રકારનો 102મો મહાયજ્ઞ છે. આ મહાયજ્ઞમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી, મુખ્યમંત્રીના પત્ની સુમન સૈની અને પૂર્વ રાજ્યમંત્રી સુભાષ સુધા જેવા ઘણા મોટા નેતાઓ સામેલ થઈ ચૂક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર
March 26, 2025 12:58 PMજામનગરની બજારમાં પીળા તરબૂચની છે બોલબાલા...
March 26, 2025 12:42 PMજામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે
March 26, 2025 12:38 PMજામનગરમાં અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા
March 26, 2025 12:32 PMસિકંદરનું શહેનશાહી ઓપનીંગ: એડવાન્સ બુકિંગમાં જ 6.11 કરોડની કમાણી
March 26, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech