ખંભાળિયાના શિક્ષણાધિકારી કચેરીના વિમલભાઈ કિરતસાતાનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ

  • April 01, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વર્ગ 2 કક્ષાના અધિકારી તરીકે છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર કામગીરી કરતા વિમલભાઈ કિરતસાતાને હૃદયરોગનો હુમલો આવી જતા શનિવારે તેમને અહીંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.


અગાઉ શિક્ષક અને આચાર્ય બાદ વર્ગ-2 ના અધિકારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહેલા વિમલભાઈની શિક્ષણાધિકારી કચેરીમાં જિલ્લામાં શિક્ષણ અંગેની કામગીરી ખૂબ જ સુંદર રહી હતી અને અનેક પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.


ગઈકાલે રવિવારે સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં શિક્ષણ શિક્ષણવિદો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના નગરજનો જોડાયા હતા.


આજે પ્રાર્થનાસભા

ખંભાળિયા: સારસ્વત બ્રાહ્મણ સ્વ. જયશંકરભાઈ કિરતસાતા પુત્ર વિમલભાઈ કિરતસાતા (ઉ.વ. 52) તે હેમલભાઈ, તૃપ્તિબેન તથા ઉર્વશીબેનના ભાઈ, ભાવનાબેનના પતિ, વિશ્વાનના પિતાશ્રી તથા દોલતભાઈ લહેરુ (માળીયાહાટીના  વાળા)ના જમાઈ તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 1 ના રોજ સાંજે પાંચ થી સાડા પાંચ ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application