વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કયારેય નહીં જાગે

  • October 07, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતે ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન–૩ના સફળ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચ્યો હતો. હવે ઈસરોના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચદ્રં પર સફળ ઉતરાણ કરનાર લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર વિશે મોટી વાત કહી છે.તેમને જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કયારેય નહી જાગે. કેમકે જો બન્ને જાગવાના હોત તો કયારના જાગી ગયા હોત.ભારતે ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન–૩ના સફળ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચ્યો હતો. હવે ઈસરો ના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચદ્રં પર સફળ ઉતરાણ કરનાર લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવર વિશે મોટી વાત કહી છે. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એએસ કિરણે ચંદ્રયાન–૩ મિશનના અંતનો સંકેત આપતાં દાવો કર્યેા હતો કે વિક્રમ લેન્ડર અને રોવર પ્રજ્ઞાન ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી. તાજેતરમાં, ઇસરોએ ચદ્રં પર મોકલેલા તેના લેન્ડર અને રોવર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યેા હતો.


રોવર અને લેન્ડર સક્રિય થવાની આશા નથી
ચંદ્રયાન–૩ મિશન સાથે સંકળાયેલા પૂર્વ ઈસરોના વડાએ કહ્યું, પ્રજ્ઞાન રોવર અને લેન્ડર વિક્રમના ફરીથી સક્રિય થવાની કોઈ આશા નથી, કારણ કે જો તેને સક્રિય થવાનું હોત તો તે અત્યાર સુધીમાં થઈ ગયું હોત. ૨૨ સપ્ટેમ્બરે, ચદ્રં પર સફળ ઉતરાણના એક મહિના પછી, ચંદ્રયાન–૩ ના લેન્ડર અને રોવરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી. જો કે, હવે ભવિષ્યમાં ચોક્કસ મિશન હશે યારે ત્યાંથી સામાન ઉપાડવામાં આવશે અને પાછો લવાશે. આ અંગે ભવિષ્યમાં અનેક યોજનાઓ બનાવવામાં આવશે.

આ મિશન દ્રારા શું પ્રાપ્ત થયું?
ચીફ એ.એસ. કિરણે વધુમાં કહ્યું, આ મિશનમાં અમે જે હાંસલ કયુ છે તે એ છે કે અમે એવા વિસ્તાર (દક્ષિણ ધ્રુવ) સુધી પહોંચી ગયા છીએ જયાં કોઈ પહોંચી શકયું નથી. આ ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી છે. ચંદ્રયાન–૨ની સફળતા પછી તે ભવિષ્યના મિશનના આયોજનમાં ખૂબ મદદપ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application