સિદ્ધાર્થ અને જાસ્મિન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા
જાણીતા બિઝનેસમેન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. સિદ્ધાર્થ અને જાસ્મિનના લગ્ન લંડનમાં ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને યૂકેમાં લાંબા સમયથી લગ્નની વિધિઓ ચાલી રહી હતી.સિદ્ધાર્થ અને જાસ્મિન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તાજેતરમાં જ તેઓએ સગાઈ કર્યા બાદ લગ્નની જાહેરાત કરી હતી. હવે આખરે તેમના લગ્ન થઈ ગયા છે અને તસવીરો પણ સામે આવી ગઈ છે.
સિદ્ધાર્થ માલ્યાએ લગ્નની બે તસવીરો શેર કરી છે. આમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે, આ તસવીરો શેર કરતી વખતે સિદ્ધાર્થે લખ્યું, 'મિસ્ટર એન્ડ મિસિસ મપેટ.'
આ પહેલા સિદ્ધાર્થે જાસ્મિન સાથેની વધુ એક તસવીર શેર કરી હતી. તેમાં તેણે લખ્યું હતું કે લગ્ન સપ્તાહ શરૂ થઈ ગયું છે. તસવીરમાં બંને ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા હતા અને લગ્નની ખુશી પણ દેખાઈ રહી હતી.
7 મે 1987ના રોજ અમેરિકામાં જન્મેલા સિદ્ધાર્થના પિતા વિજય માલ્યા મૂળ ભારતના છે. થોડા વર્ષો પહેલા વિજય માલ્યા પણ વિદેશમાં શિફ્ટ થઈ ગયા હતા. સિદ્ધાર્થનું શિક્ષણ વિદેશમાં થયું હતું પરંતુ આઈપીએલ દરમિયાન સિદ્ધાર્થ ભારતમાં દેખાવા લાગ્યો હતો. સિદ્ધાર્થ વિજય માલ્યાની ટીમ આરસીબી માટે પણ ભારત આવતો હતો. સિદ્ધાર્થ વિદેશમાં મોડલિંગ કરતો હતો.
બોલિવૂડ અભિનેત્રીઓ સાથે સિદ્ધાર્થ માલ્યાના અફેર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને દીપિકા પાદુકોણ એક સમયે રિલેશનશિપમાં હતા. બંને ઘણીવાર કોઈને કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં જોવા મળતા હતા. કહેવાય છે કે તેઓ લાંબા સમયથી રિલેશનશીપમાં હતા પરંતુ બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સિદ્ધાર્થનું સોનલ ચૌહાણ સાથે પણ અફેર હતું, આવા સમાચાર 2010ની આસપાસ ચર્ચામાં હતા. સિદ્ધાર્થ અને કેટરીના કૈફના નામ પણ એક સમયે સાથે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech