સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના કેસમાં વિભવ કુમારને મળી રાહત, સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન

  • September 02, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુષ્કર્મ કેસમાં જેલમાં બંધ વિભવ કુમારને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે વિભવને કેટલીક શરતો સાથે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.


સુપ્રીમ કોર્ટે વિભવ કુમારને જામીન આપતા સમયે ટિપ્પણી પણ કરી હતી. કોર્ટે કહ્યું કે જ્યારે ઈજાઓ નજીવી હોય તો કોઈ વ્યક્તિને 100 દિવસથી વધુ જેલમાં ન રાખી શકો. અહીં બંનેને સંતુલિત કરવા પડશે  નહીં કે જામીનનો વિરોધ કરવો.


વિભવ કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં અરજદાર 100 દિવસથી વધુ સમયથી જેલમાં છે. આ કેસમાં 51થી વધુ સાક્ષીઓ છે. ત્યારે સુનાવણીમાં વધુ સમય લાગે તેવી શક્યતા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application