ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ છે. ભારે વિવાદ વચ્ચે પડદા પર આવેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે.
આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં આવી છે. ગોધરાકાંડ પર આધારિત 'ધ સાબરમતી રિપોર્ટ'નો ઘણો ક્રેઝ હતો, પરંતુ રિલીઝ થયા બાદ આ ફિલ્મને દર્શકો તરફથી બહુ પ્રતિસાદ મળે તેમ લાગતું નથી. ફિલ્મે પહેલા દિવસે ખૂબ જ ઓછા કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર ઓપનિંગ કર્યું હતું.
કોઇ પણ સત્ય ઘટના પણ આધારિત ફિલ્મ બનાવવામાં આવે છે, તે ફિલ્મ રિલિઝ વખતે લોકો સુધી પહોંચીત નથી પણ થોડા સમય બાદ જ્યારે તે ફિલ્મઓટીટી પ્લેફોર્મ પર આવે ત્યારે લોકોના દિલ અને દિમાંગ બંને હલાવી દે છે. તે જ પ્રકારે 'ધ સાબરમતી રિપોર્ટ'એ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ રિલીઝના એક દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરંતુ તેની રિલીઝ પછી, વિક્રાંત મેસીની ફિલ્મે ભારતમાં કુલ 1.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ગુજરાતની ગોધરા ઘટના પર આધારિત છે. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, આ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન અયોધ્યાથી અમદાવાદ જઈ રહી હતી અને તેમાં મોટાભાગના હિંદુ તીર્થ યાત્રીઓ સવાર હતા. જો કે ટ્રેનમાં સવાર લોકો અયોધ્યામાં ધાર્મિક સભામાંથી પરત ફરી રહ્યા હતા. ટ્રેનના કોચમાં આગ લાગવાથી 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેના કારણે ગુજરાતમાં કોમી રમખાણો થયા હતા. ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' માં બતાવવામાં આવે છે કે કેવી રીતે મીડિયાએ આ ઘટના અને રમખાણોને બહાર લાવ્યા હતા.
'ધ સાબરમતી રિપોર્ટ'ના કારણે ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મેસીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. આ અંગે ખુદ અભિનેતાએ ખુલાસો કર્યો હતો. ફિલ્મના ટ્રેલર લોન્ચ વખતે જ આ ખુલાસો કરતા કહ્યું હતું કે,'' મને ધમકીઓ મળી છે, પરંતુ તેના ઉપર ધ્યાન નથી લેતો, કારણ કે આ ફિલ્મ એક મહત્વનો મુદ્દો છે અને અમે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છો
'ધ સાબરમતી રિપોર્ટ'ની સ્ટાર કાસ્ટ ધીરજ સરના દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મમાં વિક્રાંત મેસી પત્રકારની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેની સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના પણ મહત્વના રોલમાં જોવા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech