માર્કેટિંગ યાર્ડ પાસે શાક-બકાલાના વેપારીનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

  • February 19, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ઢીંચડા રોડ પર રહેતા શાકભાજીના એક વેપારીએ માર્કેટિંગ યાર્ડ રોડ પર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઢીંચડા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા અને સાક બકાલનો વેપાર કરતા કિરીટભાઈ બટુકભાઈ સોલંકી નામના ૪૫ વર્ષના વેપારી એ હાપા માર્કેટિંગ યાર્ડ નજીક કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.


આ બનાવ અંગે મૃતકના પુત્ર અમિત કિરીટ ભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ. જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને વેપારીનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application