વિજરખી, બેડ તથા વસઈ ગામે પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

  • March 03, 2025 03:02 PM 

વિજરખી, બેડ તથા વસઈ ગામે પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ અંતર્ગત પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

જામનગર જિલ્લાના વિજરખી, બેડ તથા વસઈ ગામે પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસ અંતર્ગત જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પશુઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી અને કૃમિનાશક દવા તેમજ બિયારણ મીનીકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત, ગ્રામજનોને પ્રાણી કલ્યાણકારી કાયદાઓની તેમજ હાલમાં કાર્યરત પશુધન વીમા સહાય યોજના અને એફ.એમ.ડી.ના રસીકરણ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું....



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application