પોરબંદરમાં સોમવતી અમાસ નિમિત્તે બાળકો માટે વિવિધ સેવાકાર્યો યોજાયા

  • September 04, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના સોમવતી અમાસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 
પોરબંદરના મહિલા અગ્રણીઓ દ્વારા શ્રાવણ માસમાં અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતુ,
જેમાં ગૌધનને નિરણ-રોટલી,બાળકોને ભોજન,બાળકોને પોષણ મળી રહે તે માટે પ્રતિભાબેન શાહના માર્ગદર્શન હેઠળ સુકામેવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.તેમજ તેમજ આસ્થા વિકલાંગ સંસ્થામાં બાળકોને નાસ્તા સાથે સુકા મેવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ,
જ‚રીયાતમંદ લોકોને ભોજન તેમજ રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.વિવિધ શિવાલયોમાં દિપદાન કરવામાં આવ્યુ હતુ.આ સેવાકાર્યને સફળ બનાવવામાં નિમિષાબેન જોશી તથા કીર્તિબેન પુરોહિતનો સહકાર સાંપળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application