પોરબંદરમાં સોમવતી અમાસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યો થયા સંપન્ન

  • September 04, 2024 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં સોમવતી અમાસ નિમિત્તે બ્રહ્મસમાજની મહિલાઓની સંસ્થા દ્વારા અનેકવિધ સેવાકાર્યો યોજાયા હતા.
હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો, ત્યારે સોમવતી અમાસ બે દિવસ હતી, ત્યારે શ્રી બર્ડાઇ બ્રાહ્મણ વેદ માતા મહિલા પાંખ દ્વારા સમગ્ર મહિનામાં અનેકવિધ સેવાકાર્ય યોજાયા હતા,જેમાં અમાસના અંતિમ દિવસે પોરબંદર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુઓની માતાઓને ગરમ ગરમ ચોખા ઘીનો ડ્રાયફ્રુટ વાળો શીરો, દુધની થેલીઓ, ગરમ ગરમ પૌષ્ટિક મગ,સેવ મમરા, બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ,સાથે સાથે વિવિધ મહાદેવના મંદિરોમાં દીપ આરતી અર્થે શુદ્ધ ઘી નું દિવેલ પણ  વાટના ડબ્બા સાથે આપવામાં આવ્યુ હતુ, આ સેવાકાર્યમાં શ્રી વેદમાતા મહિલા પાંખના તમામ બહેનો જોડાયા હતા એટલું જ નહી શીરો અને મગ પણ બહેનો દ્વારા જાતે જ બનાવવામાં આવ્યો હતા.વડીલ બહેનો સત્સંગ કરતા કરતા પણ સમાજ માટે સેવાકાર્ય કરે છે,તેમજ પોતાના પરિવારને  વડીલો ને સાચવીને બહેનો સેવાકાર્યમાં જોડાય છે, જે આપણા બર્ડાઇ સમાજ માટે ગૌરવની વાત છે, ઘરકામમાંથી ફ્રી થઈએ બહેનો પોતાનો સમય સેવાઅર્થે આપે છે,બર્ડાઇ સમાજના સામાજિક સેવાકાર્યોમાં આપે છે, એ ઉત્તમ બાબત ગણાય,આ ધાર્મિક કાર્યને સફળ બનાવવામાં શ્રી વેદમાતા મહિલા પાંખના પ્રમુખ નિમિષાબેન  અનિલકુમાર જોશી તથા મહામંત્રી વનીતાબેન સ્થાનકીયા તેમજ તમામ હોદ્દેદાર તેમજ કારોબારી બહેનોએ જહેમત ઉઠાવી હતી.શ્રી વેદમાતા દ્વારા થતા અવારનવારના સેવાકાર્યને પોરબંદરના  જાણીતા બ્લોગર રાણીબેન દ્વારા સરાહના થઈ હતી અને તેઓ પણ આ સેવા કાર્યમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application