કુતિયાણાની ગૌશાળામાં ગૌપૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

  • August 24, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના કુતિયાણા ગામે શ્રી રાઘવ માધવ ગૌશાળા ખાતે ગૌપૂજન, નંદીપૂજન  યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
બાલાહનુમાન મંદિર આશ્રમ કુતિયાણાથી પૂજ્ય સંત શ્રી મંગલદાસબાપુ અને સંતોની હાજરીમાં ગૌપૂજન, નંદીનું પૂજન, યજ્ઞ, વૃક્ષારોપણ અને પ્રસાદીનું વિતરણ કરવમાં આવ્યુ હતું. ગૌશાળાના ટ્રસ્ટી  જીવાભાઇખુંટી, બાબુભાઇ ઓડેદરા, રામદેભાઇ  પરમાર, પ્રતાપભાઇ કેશવાલા, અસલમભાઇ ખોખર અને ગૌસેવકોમાં લખમણ દાસા, રામભાઇ કારાવદરા,  બાલુભાઇ, ખીમાભાઇ મારુ(યોગબોર્ડ) હરદાસભાઇ ખુંટી, ભરતભાઇ કેશવાલા, લખમણભાઇ કેશવાલા, ભનાભાઇ ઓડેદરા ગોવર, મગનભાઇ પટેલ, દેવશીભાઇ ભૂતિયા(ગિરનારી) અરજણભાઇ તેમજ વિદેશના અમેરિકા, કેનેડા, લંડનથી ગૌભકતો આશીર્વાદથી અનેક ગૌભક્તોની હાજરીમાં ગૌપૂજનનો કાર્યક્રમ ગૌશાળા ખાતે યોજાયો હતો. હિન્દુ સંસ્કૃતિ મુજબના આ કાર્યક્રમમાં કુતિયાણાના જગદીશભાઇ ગોરે પણ ખાસ હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application