રાજકોટમાં ફરી કાયમી ભરતીની માંગ સાથે વાલ્મીકિ સમાજ મેદાને : ગરબા રમી અનોખો વિરોધ, આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી

  • June 07, 2023 02:04 PM 

રાજકોટમાં આજે ફરી સફાઈ કર્મીઓ કાયમી ભરતીની માંગ સાથે મેદાને ઉતર્યા હતા. મનપા કચેરી ખાતે ગરબા રમી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કાયમી ભરતીની માંગ સાથે આગામી દિવસોમાં પણ વિરોધ યથાવત રહેશે તેવું જણાવ્યું હતું. 


બનાવની વિગત અનુસાર, રાજકોટમાં છેલ્લા 26 વર્ષથી વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોની કાયમી ભરતી થઈ નથી. જેને લઇને છેલ્લા કેટલાય સમયથી આ સમાજ આંદોલન કરી રહ્યો છે. અનેક વખત મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવી ધરણાં કરવામાં આવ્યા છે. તેમ છતાં તેમની આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. જેને લઇને આજે ફરી વાલ્મીકિ સમાજના લોકો મનપા કચેરીએ પહોંચ્યા હતા. ગુજરાતી સંસ્કૃતિમાં ગરબા રમવા આવે છે. ત્યારે ગરબા રમીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને કાયમી ભરતીની માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકો સફેદ વસ્ત્ર પહેરીને મનપા કચેરીએ પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ જો હવે આગામી સમયમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application