મોકર, પોરબંદરમાં બ્રહ્મસમાજ સમારંભમાં આશીર્વાદ ઉદ્બોધન આપતાં વૈશાલીબાળા

  • September 03, 2024 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોકર, પોરબંદરમાં યોજાયેલ બ્રહ્મસમાજ સમારંભમાં કથાકાર  વૈશાલીબાળા દ્વારા આશીર્વાદ ઉદ્બોધન અપાયું હતું. અબોટી બ્રાહ્મણ વિકાસ સંસ્થા દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજાયો હતો.
અબોટી બ્રાહ્મણ વિકાસ સંસ્થા પોરબંદર દ્વારા જ્ઞાતિનાં વિકાસ સંદર્ભે વિવિધ આયોજનો થતાં રહે છે. મોકર, પોરબંદરમાં બ્રહ્મસમાજનાં પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સમારંભમાં રંઘોળાનાં કથાકાર  વૈશાલીબાળા દ્વારા વિદ્યાર્થી બાળકોને શાસ્ત્ર સાથે સાંપ્રત શિક્ષણનાં સમન્વય વડે જીવનમાં આગળ વધવા લાગણી સભર આશીર્વાદ ઉદ્બોધન અપાયું હતું. સંસ્થાનાં પ્રમુખ  રમેશચંદ્ર ટુકડિયા અને હોદ્દેદારોનાં સંકલન સાથે અહીંયા સુંદર આયોજન થયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application