ભાવનગર ડિવિઝનના તમામ રેલ ખંડોમાં રેલ્વેલાઈન પર લાગેલા જીવંત વીજ વાયરોથી સાવચેત રહેવા તાકીદ

  • March 26, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલ પ્રશાસન દ્વારા બોટાદ-સાબરમતી રેલ ખંડની જનતાને પાટા પર સ્થાપિત હાઇ વોલ્ટેજ વીજ વાયરોથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી હતી. ભાવનગર ડીવીઝનના તમામ રેલ ખંડોમાં રેલવે લાઈનો પર ૨૫૦૦૦ વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવેલ છે તે અંગે લોકોને સાવધાન કરવામાં આવે આવ્યા હતા. હાલમાં બોટાદ-સાબરમતી રેલ ખંડના વિદ્યુતીકરણની કામગીરી ચાલી રહી છે. 
આ સેક્શનમાં પરીક્ષણ પ્રક્રિયા ચાલી રહી છે. આ રેલ ખંડમાં વીજ પુરવઠો  શરૂ કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના તમામ રેલ ખંડોમાં રેલવે લાઇન પર ૨૫૦૦૦ વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે, જે નજીક આવતા જીવલેણ બની શકે છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર  રવીશ કુમારે દરેકને રેલવે પાટા  નજીક આવવાનું ટાળવા અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરથી પોતાને અને પશુઓને દૂર રાખવા જણાવાયું  છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application