મિલકત વેરા બિલના નામ ટ્રાન્સફર ચાર્જમાં રૂા.૫૦૦થી ૧૦,૦૦૦ સુધીનો અભૂતપૂર્વ વધારો

  • January 31, 2024 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે કમિશનરે રજૂ કરેલા ડ્રાટ બજેટમાં મિલકત વેરા બિલના નામ ટ્રાન્સફર ચાર્જમાં રૂા.૫૦૦થી ૧૦,૦૦૦ સુધીનો અભૂતપુર્વ વધારો સૂચવવામાં આવ્યો છે. અલબત્ત આ પાછળ એવો તર્ક રજૂ કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ થયા બાદ લોકો મિલકત વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે આવતા નથી તેથી યારે રિકવરી કરવાની હોય તો કઈ મિલકત કોના નામે છે? તેનો પણ અંદાજ આવતો નથી. મિલકતનું ખરેખર માલિક કોઈ હોય છે અને વેરા બિલ અન્યના નામે બોલતા હોય છે. હાલ સુધી કોઈ લેઈટ ફી વસુલવામાં આવતી ન હતી. પરંતુ હવેથી દસ્તાવેજ થયાના ૯૦ દિવસમાં નામ ટ્રાન્સફર ન કરાવે તો લેઈટ ફી પેટે પણ રૂા.૨૦૦૦ વસુલવા સૂચવ્યું છે.


નામ ટ્રાન્સફરનો નવો ચાર્જ રહેણાંક મિલકતો કાર્પેટ એરિયા ચો.મી.પ્રતિ નામ ફેર ફી રૂા.

૧થી ૫૦૫૦૦
૫૦.૦૧થી ૧૦૦૭૫૦
૧૦૦.૦૧થી ૨૦૦૧૦૦૦
૨૦૦.૦૧થી ૪૦૦૧૨૫૦
૪૦૦.૦૧થી ૫૦૦૨૫૦૦
૫૦૦.૦૧થી વધુ૩૦૦


બિન રહેણાંક મિલકતો કાર્પેટ એરિયા ચો.મી.પ્રતિ નામ ફેર ફી રૂા.
૦થી ૫૦૧૦૦૦
૫૦.૦૧થી ૧૦૦૧૫૦૦
૧૦૦.૦૧થી ૨૦૦૨૦૦૦
૨૦૦.૦૧થી ૪૦૦૫૦૦૦
૪૦૦.૦૧થી ૫૦૦૭૦૦૦
૫૦૦.૦૧થી વધુ૧૦,૦૦



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application