કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે હનુમાન જયંતીને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તમામ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે તે માટે સૂચના આપવામાં આવી છે. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા પગલા લેવામાં આવ્યા છે.
અગાઉ રામનવમીના તહેવારને લઇને વડોદરામાં હિંસા ફેલાઇ હતી. જો કે હનુમાન જયંતીના દિવસે આવી કોઇ ઘટના ન ઘટે તે માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સતર્કતાના ભાગ રુપે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. હનુમાન જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં થતી હોય છે અને આ અંતર્ગત શોભાયાત્રા ઉપરાંત હવન, હનુમાન ચાલીસા પાઠ સહિતના વિવિધ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે.
હનુમાન જયંતી પર શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા ન ખોરવાય એ બાબતને લઇને પોલીસને તેમજ તમામ રાજ્યોના પોલીસ વિભાગના અધિકારીઓને, રાજ્ય સરકારોને એલર્ટ રહેવા માટે સૂચન આપવામાં આવ્યુ છે. આ મામલે પગલા લેવા માટે પણ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બધાને સૂચિત કરવામાં આવ્યા છે..સાથે જ સાથે જો કોઇ એવા કાર્યક્રમો હોય જ્યાં કાયદો અને વ્યવસ્થા વણસી શકે એમ હોય ત્યાં સતર્કતા રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech