કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું મોડી રાત્રે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન

  • May 20, 2023 02:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

@કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું જામનગર એરફોર્સ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો...


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહનું  જામનગર એરફોર્સ ખાતે મોડી રાત્રે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


ગૃહ અને સહકારિતા મંત્રીના સ્વાગતમાં મેયર બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, રાજકોટ રેન્જના આઈ. જી. અશોક યાદવ, અધિક નિવાસી કલેકટર બી. એન. ખેર, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું તેમજ એર કમાન્ડર આનંદ સોઢી સહભાગી બન્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે દ્વારકા જવા રવાના થશે, અને દ્વારકા ખાતે તેઓ વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થશે. ત્યારબાદ દ્વારકાથી જામનગર પરત આવી તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application