ગુજરાતમાં લાગુુ થશે સમાન નાગરિક ધારો

  • February 04, 2025 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં સમાન નાગરિક ધારો, યુસીસી લાગુ કરવામાં આવશે. રાયના મુખ્યમંત્રી અને ગૃહરાયમંત્રીએ સંયુકત પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી.  ઉલ્લેખનિય છેકે યુસીસીના અમલ માટે ઉત્તરાખડં બાદ ગુજરાત બીજું રાય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાય સરકાર દ્રારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી લોકોના સૂચન પર કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં પણ રંજના દેસાઈની જ અધ્યક્ષતામાં યુસીસી કાયદાનો મુસદ્દો ઘડાયો હતો.  પત્રકાર પરિષદને

સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ગુજરાત સરકાર રાયમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઇની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યેા છે.'સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા મહત્વની સમિતિ રચના કરવામાં આવી છે. જેમાં મુસદ્દો તૈયાર કરવા કમિટી બનશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આપણે સૌ એવા મહાન રાષ્ટ્ર્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ અને બંધારણ ધર્મગ્રથં છે, બંધારણ સૌને માર્ગ બતાવતું  આવ્યું છે.
પત્રકાર પરિષદમાં ગૃહ રાયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, '૪૫ દિવસમાં કમિટી દ્રારા જે રિપોર્ટ આવશે, તેનો રિવ્યૂ કરાશે. આ રિવ્યૂ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ–જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રખાશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application