ભાવનગર શહેરના દેવુંબાગ વિસ્તારમાં રહેતો પરિવાર સમાજિક પ્રસંગે બહાર ગયા હતા. તે દરમિયાન સોનાના દાગીના કોઈ શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસમાં નોંધાવી હતી. ગત તા.૧૨/૦૩/૨૦૨૪ ના રાત્રીના નવેક વાગ્યાથી ગઇ તા.૦૪/૦૪/૨૦૨૪ ના સવારના સાડા નવેક વાગ્યા સુધીમાં કોઇ વ્યકિતએ ફરીયાદીના ઘરમા પ્રવેશ કરી ઘરમા કબાટની તિજોરીમાં રાખેલ સોનાના દાગીના જેની કુલ કિ.રૂ.૨ ,૬૫,૦૦૦ ની ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથક ખાતે નીખીલભાઇ પ્રવિણભાઇ શાહ (ઉ.વ.૩૬ ધંધો- વેપાર રહે- દેવુબાગ દિપદર્શન ફ્લેટ નંબર-૬)એ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, નિખિલભાઈ પરિવાર સાથે તા.૧૨/૦૩/૨૦૨૪ ના રોજ તેઓના પત્નીને સામાજીક કામ સબબ બહાર જવાનુ હોવાથી થોડા દિવસ પહેલા ખરીદી કરેલ સોનાના દાગીના કે જે પોતાના ઘરના કબાટની તિજોરીમાં રાખેલ હતા. તે કાઢેલ અને ત્યારબાદ ભાવનગરમાં સામાજીક કામ પુર્ણ કરી ઘરે પરત આવતા સાંજના આશરે નવેક વાગ્યાના સમયે આ સોનાના દાગીના જેમાં સોનાની લકકી જેનુ વજન ૧૪.૩૩૦ ગ્રામ, સોનાની બુટી જેનુ વજન ૭ .૬૦૦ ગ્રામ, સોનાનુ ડોકીયુ જેનુ વજન ૧૬.૪૬૦ ગ્રામ, સોનાનુ ડોકીયુ સર વાળુ જેનુ વજન ૧૭.૦૫૦ ગ્રામ છે. તે કબાટની તિજોરીમાં જેમના તેમ મુકી દિધેલ અને ત્યારબાદ ગઇ તા.૦૪/૦૪/૨૦૨૪ ના રોજ તેઓ સંબંધીના ઘરે વેવિશાળનો પ્રસંગ હોય જેથી તેમા જવાનુ હોવાથી સવારના સાડા નવેક વાગ્યે તેમના પત્નિ હિરલબેન તિજોરીમાં રાખેલ ઘરેણા લેવા જતા ઉકત ઘરેણા જોવામાં આવેલ નહિ જેથી તેઓએ મમ્મી-પપ્પાને વાત કરતા ઘરમા શોધખોળ કરેલ પરંતુ આજદીન સુધી ઘરેણા મળી ન આવતા આ મામલે ફરીયાદ મોડી કરવાનુ કારણ એવુ છે કે, ઘરમાં કોઈ તાળા તુટેલ હોય કે અન્ય વસ્તુ વેર વિખેર થયેલ ન હોય જેથી આ રીતે શોધખોળ કરતા હોવાથી ફરીયાદ મોડી કરવા આવેલ છે. બનાવ મામલે ફરિયાદી દ્વારા નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ તા.૧૨/૦૩/૨૦૨૪ ના રાત્રીના નવેક વાગ્યાથી ગઇ તા.૦૪/૦૪/૨૦૨ ૪ ના સવારના સાડા નવેક વાગ્યા સુધીમાં કોઇ વ્યકિતએ ઘરમા પ્રવેશ કરી ઘરમા કબાટની તિજોરીમાં રાખેલ સો નાના દાગીના જેમાં સોનાની લકકી જેનુ વજન ૧૪.૩૩૦ ગ્રામ જેની અંદાજીત કિ. રૂ. ૭૦,૦૦૦, સોનાની બુટી જેનુ વજન ૭.૬૦૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ.૪૦,૦૦૦, સોનાનુ ડોકીયુ જેનુ વજન ૧૬.૪૬૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ. ૭૫,૦૦૦, સોનાનુ ડોકીયુ સર વાળુ જેનુ વજન ૧૭.૦૫૦ ગ્રામ જેની અંદાજીત કિ.રૂ.૮૦,૦૦૦ જે તમામ દાગીના મળી જેની કુલ કિ.રૂ.૨,૬૫,૦૦૦ કોઇ શખ્સ ચોરી કરી નાસી ગયો હતો. જે અંગે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રખડતા ઢોર હવે મહાનગર પાલિકા કચેરી ખાતે પણ આવી પહોંચ્યા
April 15, 2025 12:26 PMજામનગરમાં આજથી અમરનાથ યાત્રા જવા માટે રજીસ્ટ્રેશન શરૂ
April 15, 2025 12:17 PMએક દિવસ બ્રિટિશ સામ્રાજ્યએ માફી માગવી જ પડશે
April 15, 2025 11:49 AMગુજરાતમાં આજથી ત્રણ દિવસ અગન ભઠ્ઠીમાં તપશે, રાજકોટને હવામાન વિભાગે ગરમીની શું ચેતવણી આપી?
April 15, 2025 11:48 AMશાને પુણેમાં 10 કરોડ રૂપિયાનો વૈભવી બંગલો ખરીદ્યો
April 15, 2025 11:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech