અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન 7 સપ્ટેમ્બરે આવશે ભારતની મુલાકાતે, વ્હાઇટ હાઉસે કરી પુષ્ટિ

  • September 06, 2023 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના વાયરસથી સંક્રમિત ન હોવાની પુષ્ટિ થઈ છે અને તેઓ G20 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે ભારત આવશે અને આ દરમિયાન તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી.


આ જાહેરાતના એક દિવસ પહેલા સોમવારે અમેરિકાની પ્રથમ મહિલા કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આ પછી જો બાઈડનની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે તેઓને કોરોનાનો ચેપ લાગ્યો નથી.


અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ G20 સમિટમાં ભાગ લેવા માટે ગુરુવારે ભારત આવશે. તેમણે કહ્યું કે બાઈડન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેમણે વધુમાં કહ્યું કે બાઈડન શનિવાર અને રવિવારે G20 સમિટના સત્તાવાર સત્રમાં ભાગ લેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application