યુપી બાર કાઉન્સિલે આજે ગાઝિયાબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં વકીલો પર થયેલા લાઠીચાર્જ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. સમગ્ર યુપીમાં વકીલો હડતાળ પર રહેશે. એટલું જ નહીં દિલ્હીના વકીલો પણ હડતાળ પર ઉતરશે. યુપીના તમામ જિલ્લામાં વિરોધ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે. વકીલો ન્યાયિક કામકાજથી અળગા રહીને અવાજ ઉઠાવશે.
અલ્હાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશને પણ આજે ન્યાયિક કામ ન કરવાની જાહેરાત કરી છે. ત્યારે આજે પણ વકીલો હાઈકોર્ટમાં પણ કામ નહીં કરે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ વકીલોએ બેઠકો યોજીને હડતાળ પર જવાની અને વિરોધ કરવાની જાહેરાત કરી છે. કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે પોલીસ અને જિલ્લા પ્રશાસને પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
યુપી બાર કાઉન્સિલે કહ્યું- ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશના નિર્દેશ પર પોલીસે કોર્ટ પરિસરમાં વકીલો પર નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં ઘણા વકીલો લોહીલુહાણ થઈ ગયા હતા. યુપી બાર કાઉન્સિલે આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમજ વકીલો પર હુમલાનો વીડિયો જોયા બાદ જિલ્લા ન્યાયાધીશ ગાઝિયાબાદની કડક નિંદા કરી છે. આ મામલાની તપાસ કરી રહેલી કાઉન્સિલના પાંચ સભ્યોની કમિટીના અહેવાલ બાદ તેમાં દોષિત જણાશે તો ન્યાયિક, વહીવટી અથવા પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
29 ઓક્ટોબરના રોજ એક કેસમાં આરોપીની જામીનની સુનાવણીને લઈને ડિસ્ટ્રિક્ટ જજ અને આરોપીના એડવોકેટ નાહર સિંહ યાદવ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી મામલો વધું ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને જિલ્લા ન્યાયાધીશે પોલીસ બોલાવી પડી હતી. પોલીસે ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં હાજર વકીલોને બહાર જવા કહ્યું, પરંતુ વકીલોએ સાંભળ્યું નહીં. આ પછી પોલીસે બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જથી વકીલો રોષે ભરાયા હતા.
વિવાદને લઈને ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલે આજે સમગ્ર રાજ્યમાં હડતાળનો ઠરાવ પસાર કર્યો છે. બાર એસોસિએશનના પ્રમુખ દીપક શર્માએ જણાવ્યું કે ગાઝિયાબાદના વકીલો આજે હડતાળ પર ઉતરશે અને આંદોલનને આગળ ચલાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech