જામજોધપુરમાં બે ખુટીયા લડાઈ વખતે ખાટલે બેઠેલા પ્રૌઢ ઉપર ચડી જતા ગંભીર ઇજા

  • May 10, 2025 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરના ચિલોડા ગામે શેરીમાં બે ખુંટીયા વચ્ચે યુધ્ધ થતા ખાટલે બેઠેલા પ્રૌઢ ઉપર ચડી જવાથી ગંભીર ઈજાઓ થઇ હતી. પ્રૌઢને પ્રથમ જામજોધપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પાંસળી સહિતના ભાગે ઇજા થઇ હોવાનું નિદાન થતા દાખલ કરવામાં આવ્યા છે. પ્રૌઢ સુરતથી લગ્ન પ્રસંગે ચિલોડા ગામે આવ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો.


પ્રાપ્ત વિગત મુજબ જામજોધપુરના સડોદરના ગામના વતની અને હાલ સુરત રહેતા અમૃતભાઈ મુળજીભાઈ પંડિત (ઉ.વ.52) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે ચિલોડા ગામે શેરીમાં ખાટલો ઢાળીને બેઠા હતા ત્યારે બે ખુંટીયાઓ સામસામે આવી જતા સિંગડાં યુધ્ધ ચાલી રહ્યું હતું દરમિયાન બંને ખુંટીયાઓ દોડતા આવી ખાટલા પર ચડી જતા બેઠેલા પ્રૌઢને કચડતા ઈજાઓ થવાથી પ્રથમ જામજોધપુર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શેઠ વડાળા પોલીસને જાણ કરી નોંધ કરી હતી. પ્રૌઢ કર્મકાંડનું કામ કરે છે અને સુરતથી સડોદર વતનમાં આવ્યા હતા અને ત્યાંથી ચિલોડા ગામે સ્વજનના લગ્ન હોય ત્યાં ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application