ખંભાળિયામાં હૃદયરોગના હુમલાથી યુવાન સહિત બેના ભોગ લેવાયા

  • February 04, 2025 04:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળીયાના કાઠી દેવળીયા ગામમાં હૃદયરોગનો હુમલો આવી જતા એક યુવાનનું મૃત્યુ થયું છે, જયારે બારાડી બેરાજા ગામમાં એક આધેડનો હાર્ટએટેકથી ભોગ લેવાયો છે.
​​​​​​​

ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરદેવસિંહ તખુભા જાડેજા નામના (ઉ.વ.૪૦) વર્ષના યુવાનને ગત તારીખ ૩૧ જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ટિંબડી ગામના રહીશ જયદેવસિંહ હરદેવસિંહ જાડેજાએ અહીંની પોલીસને જાણ કરી છે.
અન્ય એક બનાવમાં ખંભાળિયા તાલુકાના બારાડી બેરાજા ગામે રહેતા સામતભાઈ મારખીભાઈ કરમુર (ઉ.વ. ૫૨) ને પણ શુક્રવારે રાત્રે હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રામભાઈ સામતભાઈ કરમુરએ સ્થાનિક પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application