ડામાં સીઈઓ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના ઓફિસર જી. વી. મિયાણીને કેન્દ્રીય ચૂંટણી પંચે મધ્યપ્રદેશના રતલામમાં અને રાજકોટના રજીસ્ટ્રાર વિભાગના એડિશનલ ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન ડી.જે. વસાવાને ઝારખંડના બોકારોમાં ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોપતા ઓર્ડર કરવામાં આવ્યા છે. આ બંને અધિકારીઓ તારીખ બે જુનના રોજ રતલામ અને બોકારોની બેઠકની મતગણતરીમાં પહોંચી જશે. રાજકોટના આ બંને અધિકારીઓ અધિક કલેકટર કક્ષાના છે અને ચૂંટણી પંચના માસ્ટર ટ્રેનર તરીકે છે.
રાજકોટ બેઠકમાં અત્યારે જનરલ ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનની ૨૦૦૨ ની બેચના સિનિયર આઇએએસ ઓફિસર પૃથ્વીરાજ જવાબદારી સંભાળી રહ્યા છે. બે બિલ્ડિંગમાં મતગણતરી હોવાથી વધારાના ઓબ્ઝર્વર તરીકે હરિયાણાના ૨૦૧૧ ની બેચના નરહરિસિંહ બંગરને જવાબદારી સોપતા હત્પકમો કેન્દ્રીય ચૂંટણી પંચે કર્યા છે.
રાજકોટ જિલ્લ ા ચૂંટણી તત્રં દ્રારા કેન્દ્રીય ચૂંટણી પચં પાસે મતગણતરી માટે વધુ ત્રણ ઓબ્ઝર્વરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ, અત્યારે એક ઓબ્ઝર્વરની માંગણી સ્વીકારવામાં આવી છે. બાકીના બે ઓબ્ઝર્વર મળશે કે કેમ? તે આગામી દિવસોમાં નક્કી થશે
રાજકોટ ગ્રામ્યની મતગણતરી મોડી શરૂ થશે
ચૂંટણીમાં આ વખતે બેલેટથી વધુ મતદાન થયું છે અને તેની મત ગણતરી માટે ખાસ હોલની ફાળવણી કરવામાં આવી છે. બેલેટ પેપર ની ગણતરી માટેનો જે હોલ છે તેની બરાબર બાજુમાં રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારની મતગણતરી થવાની હોવાથી બેલેટની મતગણતરી પૂરી થયા પછી અડધો કલાક પછી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારની મત ગણતરી કરવા ચૂંટણી પંચે આદેશ કર્યેા છે
આવતીકાલે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં તાલીમ
આગામી તારીખ ૪ જૂનના રોજ કણકોટ ખાતેની એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી થવાની છે. તે માટે ૮૦૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ તમામને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછાર આવતીકાલે બપોરે ત્રણ વાગે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તાલીમ આપશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMગુજરાતના ૧૩ લાખ ખેડૂતોને મળશે સીધો લાભ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
April 09, 2025 03:47 PMગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમતમાં તો એક નવું બુલેટ આવી જાય, જાણો કેટલી છે કિંમત
April 09, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech