જામનગર તાલુકામાં વધુ બે યુવાનના હૃદય બંધ પડી જતા મોત

  • September 15, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલિયાબાડામાં 40 વર્ષના અને દડીયા ગામમાં 42 વર્ષના યુવાનના મૃત્યુથી શોકની લાગણી

જામનગર તાલુકાના અલિયાબાડા અને દડીયામાં વધુ બે યુવાનોના હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યા છે.  દડીયા ગામના 42 વર્ષના યુવાન જ્યારે આલિયાબાડા ના 40 વર્ષના યુવાનનું હૃદય થંભી ગયું છે.


જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા વિરજીભાઈ રતાભાઇ પરમાર નામના 40 વર્ષના યુવાનને પોતાના ઘેર છાતિમાં દુખાવો ઉપડતાં એકાએક બેશુદ્ધ પછી. તેને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.


આ બનાવ અંગે નાગલબેન અમરસીભાઈ બગડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટાફ સરકારી હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


આ ઉપરાંત જામનગર તાલુકા ના દડીયા ગામમાં રહેતા નાનજીભાઈ ડાયાભાઈ પરમાર નામના 42 વર્ષ ના યુવાનને તા. 12ના રોજ એકાએક છાતિમાં દુ;ખાવો ઉપડ્યો હતો, અને બેશુદ્ધ બની જતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે દિનેશ ડાહ્યાભાઈ પરમારે પોલીસ ને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝન પોલીસે પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા થોડા સમયથી યુવા વયે હાર્ટએટેક આવવાના બનાવોનું પ્રમાણ ચિંતાજનક વધી રહયું છે. તાલુકાના બે યુવાનના હૃદય બંધ પડી જતા મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application