વાંકાનેરમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં વધુ બે શ્રમિકોના મોત

  • March 16, 2024 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરના માટેલ રોડ પર ફેક્ટરીમાં ગેલીકેજથી આગ લાગવાની ઘટનામાં વધુ બે શ્રમિકોના મોત થતાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. આ બનાવમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.વ.૨૦)નું બુધવારે સાંજે સારવાર દરમિયાન મોત થયું હોય જે બાદ બુધવારે મોડી રાત્રિના વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ.૨૨) અને ગુરુવારે લક્ષ્મણ વિષ્ણુ કહારનું પણ સારવાર દરમિયાન મોત થતાં આ બનાવમાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા (ક્રેસ્ટોન) સિરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા.૯ના રોજ સવારે રાંધણગેસ લિકેજથી રૂમમાં આગ લાગી હતી. જેમાં આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.વ.૨૦), રિતેશ ધર્મેન્દ્ર કુશવાહ (ઉ.વ.૨૨), રાહુલ સુમ્મત બંજારા (ઉ.વ.૧૯), વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ.૨૨), લક્ષ્મણ વિષ્ણુ કહાર ગંભીર રીતે દાજી જતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા (ક્રેસ્ટોન) સિરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં ગત તા.૯ના રોજ ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં આગ લાગવાની ઘટના બની હોય જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હોય જે પૈકી અગાઉ એક બાદ વધુ બે શ્રમિક યુવાનોએ સારવાર દરમિયાન દમ તોડી દેતાં કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application