ઠગાઈના ગુનાના ફરાર બનેલા ઘોઘાના બે શખ્સ આખરે એલસીબીની પકડમાં

  • August 10, 2024 02:52 PM 

અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ મથકમાં નોંધાયેલા  ઠગાઇના ગુન્હામાં ફરાર બનેલા  ઘોઘા પંથકના બે  આરોપીને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. ભાવનગર,એલ.સી.બી. ભાવનગર ડીવીઝન વિસ્તારમાં નાઇટ રાઉન્ડઅને  પેટ્રોલીંગ દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ એ.એસ.આઇને મળેલી  બાતમી મુજબ  અમરેલી જિલ્લાના ડુંગર પોલીસ મથકમાં નોંધાયેલા  ઠગાઇના ગુન્હામાં ફરાર આરોપીઓ  વિજય ઉર્ફે સંજય રાજુભાઇ મકવાણા (ઉ. વ. ૩૨,રહે. રો રો ફેરી સર્વિસ રોડ, દેવીપૂજક વાસ, ઘોઘા જી.ભાવનગર)અને  ધનજી કલ્યાણભાઇ જેઠવા (ઉ. વ. ૩૫,રહે.રો રો ફેરી સર્વિસ રોડ, દેવીપૂજક વાસ,-ઘોઘા જી.ભાવનગર, મુળ-ડુંગર તા.રાજુલા જી.અમરેલી)ને તેના ઘરેથી  ઝડપી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘા પોલીસને હવાલે કર્યા હતા. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ અનિરૂધ્ધસિંહ ગોહિલ, એજાજખાન પઠાણ, કેવલભાઇ સાંગા, રાજુભાઇ મનાતર અને ઘોઘા પોલીસના  અનિલભાઇ મકવાણા તેમજ મનસુખભાઇ જાંબુચા જોડાયા હતા.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application