સબ-રજિસ્ટ્રાર દ્વારા આરોપીના પરિવારજનો સામે દસ્તાવેજમાં છેડછાડ અંગે નો કેસ કર્યો હોવાથી મનદુઃખ રાખીને ફરજ માં રૂકાવટ કરાઇ
જામનગર ની સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા સબ રજિસ્ટ્રાર ને ગઈકાલે ચાલુ ફરજ દરમિયાન બે શખ્સો એ ધસી આવી પોતાના પરિવાર સામે દસ્તાવેજ અને રેકોર્ડમાં છેડછાડ સંબંધેની ફરિયાદ કરવા સંદર્ભે ધાક્ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે મૂળ જૂનાગઢના વતની અને હાલ જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને જામનગરની સરૂ સેક્શન રોડ પર આવેલી સબ રજિસ્ટ્રાર ની કચેરીમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હર્ષ દિલીપભાઈ પરમાર નામના અધિકારીએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસમાં પોતાની ફરજમાં રૂકાવટ કરવા અંગે અને ઓફિસમાં ઘુસી આવી હંગામો મચાવી અધિકારી ને ગાળો ભાંડવા અંગે જામનગરના અશોક પરમાર અને નરસિંભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુંસાર બંને આરોપીઓ ગઈકાલે પોતાની ફરજ પર હતા, જે દરમિયાન સરકારી કચેરીમાં ધસી આવ્યા હતા, અને હંગામો મચાવ્યા પછી આરોપી અશોક પરમાર કે જેના સગા તેમજ આરોપી નરસિંભાઈ ચાવડા ના પુત્ર ભાવિન ચાવડા વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ અને સરકારી રેકર્ડમાં ચેડાં બાબતેની ફરિયાદ કરી હતી.
જેનું મનદુઃખ રાખીને કચેરી આવી બંને એ ગઈકાલે હંગામો મચાવ્યો હતો, જેથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે પીએસઆઇ ડી.જે. રાજ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech