ઘર કંકાસથી કંટાળી બે પરિણીતાનો એસિડ-ઝેર પી આપઘાતનો પ્રયાસ

  • December 21, 2023 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં આજરોજ ઘરકંકાસથી કંટાળી જઇ બે પરિણીતા દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જાણવા મળતી વિગતો મુજબ, રામનાથપરામાં રહેતા રૂકશારબેન સાજીદભાઈ જુણેજા(ઉ.વ 23) નામની પરિણીતાએ આજરોજ સવારના પોતાના ઘરે માંકડ મારવાની દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.


પરિણીતાએ જણાવ્યું હતું કે, તેમના લગ્નને પાંચ વર્ષ થયાં છે.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.પતીને પુરી શાકની રેકડી છે.આજે તેમને તેમના કાકીજી મજલીબેન અને તેની પુત્રી રૂબીના બંને સાથે સફાઈ બાબતે ઝઘડો કરતા લાગી આવતા આ પગલું ભરી લીધું હતું.

જયારે ખોખડદડ પુલ નજીક જડેશ્વર નજીક વેલનાથ સોસાયટીમાં રહેતી કાજલબેન વિજયભાઈ મેર(ઉ.વ.24)ને આજે તેમના પતિ સાથે કામે જવા બાબતે માથાકૂટ થઇ હતી.જે બાબતે લાગી આવતા તેણે એસિડ પી લીધું હતું.પરિણીતાનો લગ્નગાળો છ વર્ષનો હોાવનું અને તેમને સંતાનમાં બે દીકરી છે. પતિ મજૂરી કામ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application