ભાવનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના ગોડાઉન-ઓફિસમાં ઘોથા મામલતદાર ટીમે ત્રાટકી તપાસ કરતા એક્સપ્લોઝીવ પરવાનાથી અનેક ગણો વધારે સ્ટોક રાખ્યો હોવાનું ખુલતા બે ગોડાઉન અને એક ઓફિસને સીલ મારી દેવામાં આવ્યા હતા.
તાજેતરમાં ડીસાની ફટાકડા ફેક્ટરીના અગ્નિકાંડની ઘટનામાં ૨૧ મજૂરના મોતની ઘટના બાદ જિલ્લામાં આવેલી બારમાસી ફટાકડાની દુકાનો, હોલસેલર્સ તેમજ ગોડાઉનોમાં તપાસનો આદેશ કરવામાં આવ્યા હતા. જેના પગલે ગુરૂવારે મોડી સાંજ બાદ ઘોઘા મામલતદાર બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દ્વારા ઉખરલા ગામે મામસા-નેસવડ રોડ પર આવેલા જિલ્લા પંચાયતના દિહોર સીટના કોંગ્રેસના પૂર્વ સદસ્ય નિર્મળાબેન ઈશ્વરભાઈ જાનીની માલિકીના જાની ફટાકડા હાઉસ નામના બે ગોડાઉન અને ઓફિસમાં તપાસ કરતા ચીફ કંટ્રોલર એક્સપ્લોઝીવ-વડોદરા તરફથી ૩૦૦ તેમજ ૧૨૦૦ મળી ૧૫૦૦ કિલોના એક્સપ્લોઝીવની મયાર્દામાં સ્ટોક કરવાનું માર્ચ-૨૦૨૭ સુધીનો પરવાનો હતો તેની સામે બન્ને ગોડાઉન અને ઓફિસમાં અનઅધીકૃત રીતે આશરે ૬૨ હજાર કિલો જેટલા ફટાકડાનો સ્ટોક મળી આવ્યો હતો. જેથી મામલતદારની ટીમે આશરે ૫૧ લાખની કિંમતના ફટાકડાનો સ્ટોક સીઝ કરી બન્ને ગોડાઉન અને એક ઓફિસને સીલ મારી કલેક્ટર, પ્રાંત અધિકારી વગેરેને આગળની કાર્યવાહી માટે રિપોર્ટીંગ કર્યું હોવાની મામલતદાર બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ.જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તપાસના આદેશને લઈ ફાયર વિભાગ દ્વારા ગુરૂવારે શહેરમાં દાણાપીઠ, બહુમાળી ભવન, આંબાચોક, વોરા બજાર વિસ્તારમાં આવેલા ફટાકડાના હોલસેલ-રિટેલના ચાર વેપારીઓને ત્યાં ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં અજવા ટ્રેડર્સ-દાણાપીઠ, શ્રીજી ફટાકડા-એઈઆઈસી ઓફિસ, નિર્મળનગર, બહુમાળી ભવન નજીક અને આદમભાઈ ફટાકડાવાળા-દરબારગઢ, આંબાચોક પાસે ફાયર એનઓસી ન હોવાથી નોટિસ ફટકારવામાં આવી હતી. વધુમાં ફટાકડાની નવી દુકાન-ગોડાઉન માટે એસડીએમતરફથી મંજૂરી પ્રક્રિયા શરૂ હોય તો ત્યાં ઈન્સ્પેક્શન કરવા માટે ફાયર વિભાગને જાણ કરવા કલેક્ટરમાં પત્ર લખવામાં આવ્યો હોવાનું ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech