આજે સવારે ઘુમ્મસની અસર વિમાન સેવા ઉપર પણ પડી હતી.રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી ફ્લાઇટઓને વિઝિબ્લિટી ડાઉન હોવાથી લેન્ડિંગ કરી શકી નહતી જેના કારણે ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવતા બે થી ત્રણ કલાકનો વધુ સમય લાગતા પેસેન્જરમાં કચવાટ જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહીત રાજ્યના વાતાવરણમાં ગરમીની અસર જોવા મળ્યા બાદ આજે ફરીથી વહેલી સવારે ઝાકળ અને ગુલાબી ઠંડીનો અહેસાસ લોકોને થયો હતો. વાતાવરણની અસર માત્ર જનજીવનને જ નહીં પરંતુ હવાઈ સેવામાં પણ જોવા મળી હતી. આજે વહેલી સવારે ધુમ્મસના કારણે કારણે હિરાસર એરપોર્ટ પર આવતી મુંબઈની બે એર ઇન્ડિયાની ફ્લાઇટ વિઝિબ્લિટી ડાઉન હોવાથી લેન્ડિગ થઇ શકી નહતી. આથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ ડાયવર્ટ કરવાનું નક્કી કરવામાં આવતા બંને ફલાઇટો ચક્કર લગાવી અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. વાતાવરણમાં સુધારો થયા બાદ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડિગ થઇ હતી. ખરાબ હવામાનના કારણે બે થી ત્રણ કલાક ફ્લાઇટ લેટ થતા મુસાફરોને પણ ના છૂટકે પ્લેનમાં જ બેસી રહેવું પડ્યું હતું. બંને ફ્લાઇટ મોડી લેન્ડિંગ થવાથી ઉડાન ભરવાના સમયમાં પણ ફેરફાર થતા રાજકોટથી જતા મુસાફરોને પણ એરપોર્ટ પર રાહ જોવાની ફરજ પડી હતી. જેના કારણે મુસાફરોમાં કચવાટ જોવા મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech