વડોદરાના શિનોર તાલુકાના મીઢોળ ગામમાં સ્વાઈન ફ્લૂથી બેના મોત

  • April 10, 2024 07:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાના શિનોર તાલુકાના મીઢોળ ગામમાં સ્વાઈન ફ્લૂથી બે દર્દીઓના મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે. સમાચાર સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયુ અને આગળની કામગીરી શરૂ કરી દિધી છે.


સ્વાઈન ફ્લૂથી બે દર્દીઓના મૃત્યુ

મળતી માહિતી પ્રમાણે વડોદરાના શિનોર તાલુકાના મીઢોળ ગામમાં સ્વાઈન ફ્લૂથી બે દર્દીઓના મૃત્યુ થયા છે. વડોદરાના સરકારી દવાખાને સ્વાઈન ફ્લૂના બંને દર્દીઓ સારવાર હેઠળ હતા. 


આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું 

મૃત્યુ પામેલા સ્વાઇન ફ્લૂના બન્ને દર્દીઓ મીઢોળ ગામના હોવાથી આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્રારા મીઢોળ ગામમાં બે વાર ઘરે ઘરે સર્વે કરાયો છે. સર્વેમાં અન્ય કોઇપણ વ્યક્તિ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ મળ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application