રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર, શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ- ધ્રોલ, શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોલ, કાંતાગૌરી ગૌરીશંકર રાવલ ટ્રસ્ટ- મુંબઈ અને એમ.ડી.મહેતા મહિલા મંડળ- ધ્રોલના આર્થિક સહયોગથી લોક- વિજ્ઞાન કેન્દ્રોના કો-ઓર્ડિનેટર તેમજ સાયન્સ કોમ્યુનિકેટર્સ માટે પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બે દિવસીય રાજયકક્ષાનો નેચર સ્ટડી ટુર અંતર્ગત દરિયાઈ જીવસૃષ્ટિ વિશે પ્રત્યક્ષ જાણકારી મળે, પક્ષીઓની ઓળખ, પર્યાવરણની જાળવણી, જિલ્લાના પર્યાવરણીય સ્થળની મુલાકાત થાય તે ઉદેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા દિવસે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરાઈ હતી.
ત્યારબાદ તમામ લોક-વિજ્ઞાન કેન્દ્રોના કો-ઓર્ડિનેટર તેમજ સાયન્સ કોમ્યુનિકેટર્સ માટે તજજ્ઞ સુરજભાઈ જોશી દ્વારા મરીન નેશનલ પાર્ક જામનગર અને સાપની પ્રજાતિ વિષે માહિતી પર વ્યાખ્યાન અપાયું હતું. વ્યાખ્યાન બાદ નરારા ટાપુની મુલાકાત દરમિયાન દરિયાઈ જીવસૃષ્ટિમાં પરવાળા, સ્ટાર ફિશ, ઓક્ટોપસ, પફર ફિશ, અલગ-અલગ પ્રકારના કરચલા, દરીયાઈ ફૂલ, લીલ, ચેરના વૃક્ષો વગેરે નિદર્શન બાદ નારારા ટાપુના ઓફિસર શ્રી હુશેનભાઈ દ્વારા નરારા ટાપુની શરૂઆત, મહત્વ અને વિશેષતાઓની માહિતી અપાઈ હતી.
બીજા દિવસે જામનગર જિલ્લાના ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત દરમિયાન દેશ-વિદેશથી આવતા પક્ષીઓ જેમ કે બ્લેક નેકકેડ સ્ટ્રોક, કિંગફિસર, કોમનક્રેન, ફ્લેમિંગો, સ્પૂનબિલ વગેરે પક્ષીઓની માહિતી અપાઈ હતી.
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં ફિલ્ડ વિઝિટ બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દક્ષાબેન વાઘસીયા દ્વારા અભયારણ્ય અંગે સમજ, ખીજડીયા પક્ષી અભયારણ્યની શરૂઆત કેમ થઈ, અભયારણ્યનો પરિચય તેમજ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં કઈ રીતે સામેલ થવું વગેરે તે અંગે માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ જામનગર જિલ્લા કક્ષાના લોક-વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે શ્રી એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ- ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા દ્વારા પ્રવાસમાં સામેલ તમામ લોક-વિજ્ઞાન કેન્દ્રોના કો-ઓર્ડિનેટર તેમજ સાયન્સ કોમ્યુનિકેટર્સશ્રીને પ્રમાણપત્ર અનેસ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સમારોહમાં વાઈઝ પ્રેસિડેન્ટ ઓફ લખોટા નેચર ક્લબ જામનગર તથા વાઇલ્ડલાઈફ રેસ્ક્યુસર સુરજભાઈ જોશી, એમ.ડી.મહેતા એજયુકેશન ટ્રસ્ટ- ધ્રોલના સેક્રેટરી સુધાબેન ખંઢેરીયા, ધ્રોલ લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર સંજયભાઈ પંડ્યા તેમજ બહોળી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech