ખીજડીયામાં આજથી બે દિવસ પક્ષી ગણતરીનો પ્રારંભ

  • February 06, 2025 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર શિયાળામાં મઘ્ય એશીયા, હીમાલય, યુરોપ, અફઘાનીસ્તાન, ઇરાનના પક્ષીઓ ખીજડીયા ખાતે બે થી અઢી માસ રોકાય છે: રાજયના વન વિભાગ દ્વારા 11 ટીમોના 50 ગણતરીકારો દ્વારા ગણતરી


જામનગરથી 15 કિ.મી. દુર આવેલા ખીજડીયા બર્ડ સેન્યુરીમાં આજથી બે દિવસ સુધી રાજયના વનવિભાગની 11 ટીમોના 50 ગણતરીકારોએ વિદેશના પક્ષીઓની ગણતરી શ કરી છે અને આવતીકાલ સાંજ સુધીમાં આ ગણતરીનો રિપોર્ટ આવી જશે, પ્રવાસીઓ માટે એન્ટ્રી બંધ રાખવામાં આવી છે.


જાણવા મળતી વિગત પ્રમાણે દર શિયાળે ઠંડીમાં ખીજડીયા ખાતે વિદેશી પક્ષીઓની ગણતરી કરાય છે અને ઇરાન, ઇરાક, અફઘાનીસ્તાન, યુરોપ, રશીયા, મઘ્ય એશીયા, હીમાલય સહિતના સ્થળોએથી પક્ષીઓ બે થી અઢી મહીના સુધી ખીજડીયા આવે છે, વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર સ્થાનીક પ્રજાપતિ ઉપરાંત 250થી વધુ પ્રજાતીના પક્ષીઓ અહીં જોવા મળે છે.


આજ સવારથી 50 જેટલા નિષ્ણાંત ગણતરીકારોએ મરીન નેશનલ પાર્કના અધિકારીઓને સાથે રાખીને પક્ષી ગણતરીમાં જોડાયા હતાં જેમાં મુખ્ય વન સંરક્ષણ આર.સેન્થીલકુમારના માર્ગદર્શન હેઠળ રાધીકા પણસારા, દક્ષાબેન વઘાસીયા, કેતનભાઇ રામાણી સહિતના સ્ટાફ દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારથી પક્ષી ગણતરી કરવામાં આવી હતી, ગયા ફેબ્રુઆરી મહીનામાં તા.3 થી 5 દરમ્યાન બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત (બીસીએસજી) અને વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી કરાઇ હતી, આજે ફરીથી સાઇટ ઉપર બે દિવસ સુધી ગણતરી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application