તા.10 અને 11 એપ્રિલે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
નાગરી મહાપર્વ એટલે કે શ્રી હાટકેશ્વર મહાદેવનો દિવ્ય પાટોત્સવ ચૈત્ર સુદ ચૌદસ એટલે કે 11 એપ્રિલ 2025, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.આ મહાપર્વની ઉજવણી બે દિવસ સુધી ચાલશે.
જેમાં શ્રી હાટકેશ જ્યંતીની પૂર્વ સંધ્યાએ ભક્તિ સંગીતનો ભવ્ય કાર્યક્રમ ભજામી ભૂજગેન્દ્રહારમ તા. 10 એપ્રિલ ગુરૂવાર રાત્રે 9 વાગ્યે જામનગર ચેમ્બર હોલ, હાપા રોડ ખાતે યોજાયેલ છે. કાર્યક્રમના અંતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે,પાઠાત્મક લઘુરુદ્ર તથા નૂતન ધ્વજારોહણ 11 એપ્રિલ, શુક્રવાર સવારે 8.30 વાગ્યાથી શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, જામનગર ખાતે યોજાશે.
શ્રી હાટકેશ્વર મહાદેવની ભવ્ય રવાડી તા. 11 એપ્રિલ, શુક્રવાર સાંજે સાડા પાંચ વાગ્યે નાગરપરા શેરી નંબર 1 થી પ્રસ્થાન કરી તેના પરંપરાગત રૂટ પરથી પસાર થઈ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિરામ લેશે તેમજ મહાઆરતી,તા. 11 એપ્રિલ સાંજે 7.15 વાગ્યે થશે,દાદાનો મહાપ્રસાદ તા. 11 એપ્રિલ શુક્રવાર, સાંજે 8 વાગ્યે, ટાઉન હોલ, જામનગર ખાતે યોજાયેલ છે.
આ તમામ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખભોલાનાથ રીંડાણી, અજય વૈશ્નવ ઉપપ્રમુખ, નીલેશ ઓઝા મંત્રી ચિરાગ બુચ,કોષાધ્યક્ષ, યોગેશ રીંડાણી ચેરમેન તેમજ હાટકેશ્વર મહાદેવ સમિતિ જહેમત ઉઠાવી રહ્યા છે.આ તમામ પ્રસંગોમાં જામનગરની જાહેર જનતાને સહપરિવાર સાથે જોડાવા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech