ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓએ અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લેતા ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા બન્નેએ ટૂંકી સારવાર બાદ દમ તોડી તોડી દીધો હતો. પિતાના મૃત્યુ બાદ બન્ને ભાઈઓ હિરાનું કામ કરી પરિવારનો જીવન નિર્વાહ કરતા હોવાનું તેમજ નવા ખરીદેલા ઘરના હપ્તા ને ભરાતા કંટાળી અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે અમરોલી અને વલ્લભીપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઘટના અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ મુળ વલ્લભીપુરના અને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના અમરોલી વિસ્તારમાં સ્થાઈ થઈ હિરા ઉદ્યોગમાં કામ કરી પરિવારનો જીવન નિર્વાહ કરતા હિરેનભાઈ ચંદુભાઈ સુતરીયા અને પરીક્ષિતભાઈ ચંદુભાઈ સુતરીયા એ પોતાના ઘરે રૂમમાં જઈ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા બન્નેને અતિ ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવારમાં બન્ને ભાઈઓએ દમ તોડી દેતા પરિવારમાં રોકકળ મચી હતી.
ઘટનાની જાણ થતા અમરોલી પોલીસે દોડી જઈ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી હતી. જેમાં પિતા ચંદુભાઈ સુતરીયાનું મૃત્યુ થયા બાદ હિરેનભાઈ અને પરીક્ષિતભાઈ હિરાનો વ્યવસાય કરી પરિવારનો જીવન નિર્વાહ કરતા હતા. અને અમરોલી વિસ્તારમાં ખરીદેલા નવા ઘરના હપ્તા ને ભરાતા ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી આવક અનિયમિત થવાથી આર્થિક સ્થિતિ કથળી હોય બન્ને રોજીરોટીને લઈ વ્ય ગ્રતા અનુભવતા હતા. અને કોઈ યોગ્ય માર્ગ ને મળતા બન્નેએ પોતાના ઘરના રૂમમાં જઈ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું ખુલ્યું હતું.મૃતક બન્ને પૈકી હિરેનભાઈના લગ્ન હજુ ૮માસ પૂર્વે જ થયા હોવાનું પણ સામે આવ્યુ હતું.
આર્થિક સંકળામણમાંમાં પરિવારનો જીવન નિર્વાહ કરવા તેમજ ઘરના હપ્તા ને ભરી કંટાળી જઈ અંતિમ માર્ગ અપનાવી લેનાર બન્ને ભાઈઓ ના મૃત્યુથી સુતરીયા પરિવારમાં ભારે રોકકળ મચી હતી. તો બનાવના પગલે અમરોલી તેમજ વલ્લભીપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર અને જામજોધપુરમાં ૧૩ જુગારણની અટકાયત
May 30, 2025 11:01 AMપાકિસ્તાન માટે આંસુ વહાવનાર કોલંબિયાને શશી શરૂરે ખખડાવી નાખ્યું
May 30, 2025 10:57 AMજામનગર શહેરમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી
May 30, 2025 10:53 AMક્રિષ્ના પાર્કમાં બિલાડીના બચ્ચાની બાબતમાં બબાલ
May 30, 2025 10:52 AMભારતમાં 85.5 ટકા પરિવારો પાસે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન: સર્વે
May 30, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech