પરપ્રાંતિય દંપતીએ CWC કમિટીનો આભાર વ્યક્ત કર્યો
ઓખાના રેલવે સ્ટેશન ખાતેથી તાજેતરમાં રેલવે પોલીસને બે નાના બાળકો મળી આવ્યા હતા. અંદાજિત 6 વર્ષ તથા 10 વર્ષની ઉંમરના એવા આ બંને બાળક એકલા હોય અને આ બંનેના કોઈ વાલી-વારસ સાથે ન જણાતા રેલવે પોલીસે આ બંને બાળકો અંગે ખંભાળિયા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનો સંપર્ક કર્યો હતો. જેને અનુલક્ષીને સંસ્થા દ્વારા આ બાળકોને ખંભાળિયાની સી.સી.આઈ. સંસ્થામાં રાખવા માટેનું જણાવ્યું હતું.
આ બંને બાળકોનું કાઉન્સિલિંગ કરાતા તેઓના માતા-પિતા ઝારખંડ ના મૂળ રહીશ હોવાનું અને હાલ જામનગરમાં રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હોય આ અંગે સી.ડબલ્યુ.સી.ના ચેરમેન ચંદ્રશેખર બુધ્ધભટ્ટીએ જામનગર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર બાબતે જાણ કરી હતી. આ પછી બાળકોના માતા-પિતા અંગેની શોધખોળમાં બંને બાળકોના માતા-પિતા જામનગરથી મળી આવ્યા હતા.
આ બંને બાળકો તથા માતા-પિતાના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી અને બંને બાળકોનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો. આથી આ દંપતીએ ભાવવિભોર થઈ અને કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech