જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે રીક્ષા ને પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમા રીક્ષા ચાલક અને તેના ભાઈ સહિત બે વ્યક્તિને ઈજા થઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે પડધરીના વતની અલ્તાફભાઈ મામદભાઈ સંઘાર (ઉ.વ.૩૦) નામના રીક્ષા ચાલક પોતાની રિક્ષામાં તેના ભાઈ અકબરભાઈ સંઘારને બેસાડીને જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન ધ્રોલ નજીક આકાશવાણી કેન્દ્ર પાસે જી.જે.૧૦ બી.જી. ૨૫૬૮ નંબરની આર્ટીગા કારના ચાલકે રીક્ષાને પાછળથી ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રીક્ષાચાલક અને તેના ભાઈ બંનેને ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech