ભાવનગર-સોમનાથ હાઇવે ફરીથી ગોજારો બન્યો હતો. વધુ એક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓ મોતને ભેટ્યા હતા. સોમનાથ નેશનલ હાઈવે-૮/ઈ પર તણસાગામ નજીક કાર પલ્ટી ખાઈ જતાં બે વ્યક્તિઓના મોત થયા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલ માતા-પુત્રને સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં રહેતો પરીવાર દેવ દર્શન અર્થે ભગુડા ગયા હતા. બે કાર મારફતે દેવ દર્શન કરી પરત આવી રહ્યા હતા. ત્યારે એક પરીવારની વેગનઆર કાર ત્રાપજ નજીક પહોંચતા કાર ચાલકે અકસ્માતે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી ખાઈ રોડ સાઈડમાં આવેલ ખેતરમાં ખાબકી હતી. આ દરમ્યાન કારમાં સવાર યોગેશભાઈ અમરસંગ પરમાર તથા તેના પિતરાઈ ભાઈ ઉદેસંગભાઈ ભગવાનભાઈ પરમારને ગંભીર ઈજા પહોંચી હતી. જે બન્ને અને અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં બન્ને પિતરાઈ ભાઈઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કરાયા હતા. જ્યારે ઉદેસંગભાઈના પુત્ર કૃણાલ તથા તેમના પત્ની છાયાબેનને ગંભીર ઈજા પહોંચતા સર ટી હોસ્પિટલ ખાતે સારવારમાં રખાયા હતા. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે હાહાકાર, 58 લોકોએ ગુમાવ્યા જીવ, હજારો લોકોના ઘર પાણીમાં ડૂબ્યા
July 07, 2024 04:39 PMKulgam Encounter: સુરક્ષા દળોનું મોટું ઓપરેશન, અત્યાર સુધીમાં છ આતંકીઓનો ખાત્મો
July 07, 2024 04:37 PMરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech