૧૪ વેપારી પાસેથી રૂ. ૬.૨૨ કરોડના હીરા લઇ બારોબાર વેચી રોકડી કરી લેનાર મૂળ ભાવનગરના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામનો અને કતારગામના હીરાદલાલ રવિ વઘાસીયા ઉર્ફે રવિ ચોગઠના સાગરીત અક્ષય જાસોલીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. રવિ પાસેથી હીરા લઇ પચાસ ટકા ઓછા ભાવે દિલ્હીમાં વેચી રોકડી કરનાર ધનરાજ રાઠોડને પણ દબોચી લેવાયો હતો.
મહિધરપુરામાં દાલગીયા મહોલ્લો, શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં આદિ જેમ્સના નામથી નેચરલ હીરાનો વેપાર કરતા આકાશ અશોકભાઈ સંઘવી સુરત-મુંબઈ-દિલ્હીના વેપારીઓ સાથે બિઝનેસ કરે છે. દિલ્હી ખાતે સાઈ ડાયમંડ નામે વેપાર કરતા જોનીભાઈને બ્રાઉન હીરાની જરૂરિયાત હોવાની વાત કરી હતી. રૂ. ૩૪ લાખના હીરા અને સુરતના વેપારી જેનિશને ૧૩.૩૦ લાખના બ્રાઉન હીરા મળી ૪૭.૩૯ લાખના હીરા વેચવાનું કહી છેતરપિંડી કરી હતી.
રવિ ચોગઠ વિરુદ્ધ ૧૨ હીરા વેપારી પાસેથી ૪.૦૭ કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. રવિની ધરપકડ કરતાં તે તેના સાગરીતો મારફત હીરા પચાસથી સાઇઠ ટકામાં લેભાગુ વેપારીઓને વેચી દેતો હોવાની કબૂલાત કરતાં તેનો મુખ્ય સાગરીત ગણાતા અક્ષય પોપટ જાસોલીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયા હતા. બાદમાં ધનરાજ રાઠોડને ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુએસમાં 12 દેશોના નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ
June 05, 2025 10:14 AMકેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે
June 05, 2025 10:12 AMરશિયા યુકેનને ડ્રોન હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપશે
June 05, 2025 10:11 AMટ્રમ્પના ટેક્સ બિલ સામે મસ્કે ફરી બાંયો ચડાવી, સાંસદોને પણ વિરોધ કરવા અપીલ કરી
June 05, 2025 10:10 AM₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech