ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ગામે મલાર વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘાતક હથિયારોના ઘા ઝીંકી યુવાનની હત્યા નીપજાવી શખ્સો નાસી છૂટ્યાની મૃતક યુવાનના ભાઈએ રાજપરા ગામના જ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ગણતરીના સમયમાં બે શખ્સોને ઝડપી લઈ કોર્ટ હવાલે કર્યા હતા.ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રાજપરા ખારા ગામે મલાર વાડી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ જીણાભાઈ ઉર્ફે જીવણભાઈ ચૌહાણ(ઉ. વ. આ. ૨૧)પર ઘાતક હથિયારોના ઘા ઝીંકી તેની હત્યા કરાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યાની મૃતક યુવાનના પરિવારજનોએ ઘોઘા પોલીસને જાણ કરતા ઘોઘા પોલીસનો કાફલો રાજપરા ગામે દોડી ગયો હતો.
અને હત્યા કરાયેલી હાલતે મલાર વાડી વિસ્તારન રસ્તા પર પડેલ રાકેશભાઈના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે પ્રથમ ઘોઘાના સરકારી દવાખાને અને ત્યાંથી ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ અંગે મૃતક રાકેશભાઈના ભાઈ અમિતભાઈ જીણાભાઈ ઉર્ફે જીવણભાઈ ચૌહાણ(રે. મલાર વાડી વિસ્તાર, ખારા રાજપરા ગામ, તા. ઘોઘા, જિ. ભાવનગર)એ આજ ગામે રહેતા તેના કૌટુંબિક જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ, નિતીન જેન્તીભાઈ ચૌહાણ અને તેના મિત્રો સામે ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મૃતક પોતાના મોટાભાઈ રાકેશભાઈને કૌટુંબિક અશોકભાઈની પુત્રી કોમલ સાથે પ્રેમ સંબંધ હોય જેને લઈ જયદીપ ઉર્ફે ભકુડો સાથે થયેલી બોલાચાલી અને ઝઘડાની દાઝે જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ, નિતીન જેન્તીભાઈ ચૌહાણ અને તેના મિત્રોએ રાકેશભાઈ સાથે ઝઘડો કરી તેના પર ઘાતક હથિયારો વડે હુમલો કરી રાકેશભાઈની હત્યા નીપજાવી નાસી છૂટ્યા હતા.
મૃતક રાકેશભાઈના ભાઈ અમિતભાઈ આઈ નોંધાવેલી ફરિયાદના પગલે ઘોઘા પોલીસના પોસઈ ભુરાભારથી ગૌસ્વામીએ જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ, નિતીન જેન્તીભાઈ ચૌહાણ તેમજ તેના મિત્રો સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. અને ગણતરીના સમયમાંજ જયદીપ ઉર્ફે ભકુડો અશોકભાઈ ચૌહાણ અને નિતીન જેન્તીભાઈ ચૌહાણને ઝડપી લઈ કોર્ટ હવાલે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech