ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો : 61 હજારના ઘરેણા કબ્જે
જામનગરના પટણીવાડ વિસ્તારમાં એક બંધ મકાનમાં તાજેતરમાં ચોરી થઇ હતી જેનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી બે શખ્સોને ઝડપી લઇ 61 હજારની કિંમતના સોનાના ઘરેણા કબ્જે કરવામાં આવ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર પટણીવાડ નજીક રેસ્ટોરન્ટની બાજુની શેરીમાં રહેતા મહમદહુશેનભાઇ ચૌહાણ નામના આસામી પરિવાર સાથે બહારગામ ગયા હતા અને પાછળથી તસ્કરો મકાનમાંથી સોનાના દાગીનાનો હાથફેરો કરી ગયા હતા આ અંગે સીટી-એમાં ફરીયાદ કરવામાં આવી હતી.
શહેરના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુના શોધી કાઢવા એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલાની સુચના મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ એમ.એન. રાઠોડ સાથે સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
દરમ્યાન સર્વેલન્સ સ્કોડના વિક્રમસિંહ જાડેજા, રાકેશ ચૌહાણ તથા ઋષીરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ઇસમો દાગીના સાથે ચાંદીબજાર બુગદાવાળી ગલીમા આંટાફેરા કરે છે જેના આધારે પોલીસ વોચ ગોઠવી હતી દરમ્યાન પટણીવાડ પુરબીયાની ખડકી બહાર રહેતા શાહનવાઝ શકીલ ચૌહાણ અને મહમદ અખ્તર પંજા નામના બંને શખ્સોને દબોચી લીધા હતા.
અંગજડતી કરતા 3 જોડી સોનાના બુટીયા, એક જોડી સોનાની છેલકડી, એક પેડલ, સોનાની એક વીંટી, એક જોડી નાની કડી મળી કુલ 61000ના દાગીના મળી આવતા બંનેને ઝડપી ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMજામનગર: મોમાઈ નગરના રહીશોએ આપ્યું આવેદન
April 23, 2025 01:22 PM૨૫ એપ્રિલ :“વિશ્વ મેલેરિયા દિવસ"
April 23, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech