યુનાઇટેડ સ્ટેટ્સના ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે દેશમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરી છે અને લગભગ 18 હજાર ભારતીયોને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, કેનેડામાં, વર્ષ 2025 માટે અન્ય દેશોમાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 5,05,162 નક્કી કરવામાં આવી છે. વિદેશમાં આવા કાયદા લાગુ થવાથી ભારતીયોને ઘણું નુકસાન થશે. રોજગાર, શિક્ષણ અને સારા જીવન માટે આ વિકસિત દેશોમાં જવાનું આયોજન કરી રહેલા લોકો માટે આ કોઈ આઘાતથી ઓછું નથી.જયારે સાઉદી પ્રિન્સએ ખુશખબરી આપી છે કે અહી બહારથી આવતા કાર્યકુશળ લોકોનું સન્માન થશે. જે માટે ખાસ નીતિ લાગુ કરવામાં આવી છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો સાઉદી અરેબિયામાં કુશળ, અર્ધ-કુશળ અને અકુશળ મજૂર તરીકે કામ કરી રહ્યા છે. વિદેશ મંત્રાલય અનુસાર, સાઉદી અરેબિયામાં 26 લાખથી વધુ ભારતીયો રહે છે.
ઇસ્લામના ગઢ તરીકે જાણીતા દેશ સાઉદી અરેબિયાથી ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ત્યાંના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયે દેશમાં એક નીતિ શરૂ કરી છે જે ભારતીયો માટે સારા સમાચારથી ઓછી નથી.સાઉદી મંત્રાલયે દેશમાં બળજબરીથી મજૂરી નાબૂદ કરવા માટે એક નવી નીતિ શરૂ કરી છે. આ નીતિના અમલીકરણ પછી, સાઉદી અરેબિયા પહેલો દેશ બન્યો છે જેણે સુરક્ષિત કાર્યકારી વાતાવરણ બનાવવા તરફ પગલાં લીધાં છે અને અન્ય દેશોમાંથી સાઉદી આવતા મજૂરો અને કામદારોના હિતોનું ધ્યાન રાખ્યું છે.
સાઉદી અરેબિયા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના બળજબરીથી મજૂરી કરવાના સંમેલનના 2014ના પ્રોટોકોલને બહાલી આપ્નાર પ્રથમ જીસીસી સભ્ય છે અને આ નીતિ રજૂ કરીને બળજબરીથી મજૂરી દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરનાર પ્રથમ આરબ દેશ બન્યો છે.
સાઉદી મંત્રીએ શું કહ્યું
સાઉદી અરેબિયાના કાર્યકારી પયર્વિરણ નિયંત્રણ અને વિકાસ માટેના નાયબ પ્રધાન સત્તમ અલ-હાર્બીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જબરદસ્તી મજૂરી નાબૂદ કરવા માટેની રાષ્ટ્રીય નીતિનો પ્રારંભ સાઉદી અરેબિયા માટે એક સીમાચિહ્નરૂપ છે, . આ દેશમાં રહેતા અને કામ કરતા તમામ લોકો માટે સલામત વાતાવરણ બનાવવા અને તેમના અધિકારોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા દશર્વિે છે. સાઉદી અરેબિયાની રાષ્ટ્રીય નીતિ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન 2030નો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેના દ્વારા તે દુનિયાને બતાવવા માંગે છે કે સાઉદી અરેબિયા કામકાજ, રહેવાની વ્યવસ્થા અને પર્યટનની દ્રષ્ટિએ દરેક બાબતમાં કોઈપણ વિકસિત દેશથી ઓછું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech