લાંબા સમય બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પ્રત્યે નરમ વલણ દાખવ્યું છે. ટ્રુડોએ કહ્યું છે કે ભારતમાં નરેન્દ્ર મોદીની પુનઃચૂંટણી તેમને ઘણા 'ગંભીર અને મોટા' મુદ્દાઓ પર વાત કરવાની તક આપે છે.
ટ્રુડોએ કહ્યું કે હવે ભારતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે. મને લાગે છે કે અમારા માટે વાત કરવાની આ તક છે. આ સમય દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા, કેનેડિયનોને સુરક્ષિત રાખવા અને કાયદાના શાસન સાથે સંબંધિત કેટલાક ખૂબ જ ગંભીર મુદ્દાઓ પણ સામેલ છે. ટ્રુડો અને મોદી તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલી G-7 સમિટ દરમિયાન મળ્યા હતા. જ્યાં ભારતને આઉટરીચ પાર્ટનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ટ્રુડોએ કહ્યું કે મને લાગે છે કે સમિટની સૌથી સારી બાબત એ છે કે તમને વિવિધ મુદ્દાઓ ધરાવતા વિવિધ નેતાઓ સાથે સીધી વાત કરવાની તક મળે છે.' તેમણે કહ્યું કે ભારત સાથે અમારા ચોક્કસપણે વ્યાપક અને મહત્વપૂર્ણ આર્થિક સંબંધો છે. ટ્રુડોએ કહ્યું કે અમે ભારત સાથે ઘણા મોટા મુદ્દાઓ પર કરાર કર્યો છે. જો કે ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ દરમિયાન તેણે ભારતીય એજન્ટો દ્વારા ખાલિસ્તાની સમર્થકોને મારવાની વાત કરી હતી.
ટ્રુડો અપનાવી રહ્યા છે નરમ વલણ
જસ્ટિન ટ્રુડોએ પણ ગત શુક્રવારે ઇટાલીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નરમ સૂર અપનાવ્યો હતો. જ્યારે ઇટાલીમાં યોજાયેલી મીટિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે એ જણાવ્યું ન હતું કે નિજજર કેસ કે કેનેડામાં ભારત દ્વારા કથિત વિદેશી હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે નહીં. તેમણે કહ્યું, 'આપણે વિશ્વભરના વિવિધ ભાગીદારો સાથે સંવાદ ચાલુ રાખવાની જરૂર છે.' કેનેડાના વડા પ્રધાન કાર્યાલયે નરેન્દ્ર મોદીને ભારતમાં ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ટ્રુડોએ જી-20માં આપી હતી હાજરી
આ સિવાય જસ્ટિન ટ્રુડો પોતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં સામેલ થયા હતા. પાછળથી એવું બહાર આવ્યું કે ટ્રુડોએ તે વાતચીત દરમિયાન નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે સમયે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સંબંધોની પ્રગતિ માટે 'પરસ્પર સન્માન અને વિશ્વાસ' જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
September 27, 2024 11:54 PMજૂનાગઢમાં ધોધમાર વરસાદથી ભવનાથમાં ઠેર-ઠેર પાણી, ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ
September 27, 2024 11:49 PMઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી, 2 ભક્તોના મોત
September 27, 2024 11:46 PM'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું નામ ફરી વિવાદમાં, નિર્માતાઓએ પલક સિંધવાનીને મોકલી નોટિસ
September 27, 2024 06:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech