દેસાઈનગર નજીક ટ્રિપલ અકસ્માત

  • February 05, 2024 08:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર રાજકોટ હાઇવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી. શહેરના ગાયત્રી મંદિર સામે મિલેટ્રી સોસાયટીના નાકે બસ,કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર પાલીતાણાની એસટી બસ જઈ રહી હતી. તે સમયે આગળ જઈ રહેલી રીક્ષા અચાનક બ્રેક લગાવતા પાછળથી રહેલી ઇકો સાથે અથડાઈ હતી. તે કાર પાછળ આવી એસટી બસ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં બસ અને કારને મોટી નુકશાની પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઇ રોડ પર થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. અને બોરતળાવ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાયો હતો. જોકે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. એસટી બસને નુકશાની પહોંચતા એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application